મોરબી જિલ્લામાં લાખથી વધુ લાભાર્થીઓને એક જ દિવસે અનાજ વિતરણ
માર્કેટિંગ યાર્ડ ખાતે મંચ પરથી ૧૦૦ જરૂરિયાતમંદોને વિતરણ
(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૪ : રાજય સરકાર દ્વારા પાંચ વર્ષના સુશાસનની ઉજવણીના ભાગરૂપે વિવિધ પ્રજાકીય કર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે જરૂરિયાતમંદ લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું. મોરબીના માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મંચ ઉપરથી અંદાજીત ૧૦૦ જેટલા લોકોને અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મોરબીના માર્કટિંગ યાર્ડ ખાતે સરકારના પાંચ વર્ષના સુશાસનની ઉજવણીના ભાંગરૂપે જરૂરિયાતમંદ લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજનું વિતરણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડાપ્રધાન મોદી અને રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઓનલાઈન રીતે જોડાયા હતા. આ કાર્યક્રમમાં રાજય મંત્રી જયરાજસિંહ પરમાર, ધારાસભ્ય બ્રિજેશ મેરજા, પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, જિલ્લા કલેકટર જે.બી.પટેલ, એસપી એસ.આર.ઓડેદરા, પુરવઠા અધિકારી શ્વેતા પટેલ, માર્કેટિંગ યાર્ડના ચેરમેન ભવાનભાઈ, મોરબી પાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ જીગ્નેશભાઈ કૈલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમમાં મંચ ઉપરથી અંદાજીત ૧૦૦ જેટલા લોકોને અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું. જયારે મોરબી જિલ્લામાં અંદાજે એક લાખ થી પણ વધારે લોકોને અનાજ વિતરણ કરાયું હતુ.