વાવાઝોડાની સહાય આપવાની લાલચ આપીને સાવરકુંડલાના થોરડીમાં દુષ્કર્મ
(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૪ : સાવરકુંડલા તાલુકાના થોરડી ગામે તૌકતે વાવાઝોડામાં થયેલ નુકસાનીની સહાય મળી જશે તેમ કહી મહિલા ઉપર બળાત્કાર ગુજારાયાની ઘટના પોલીસ ચોપઙે ચડતા સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે.
આ બનાવ અંગે પોલીસમાં નોંધાયેલ વિગત અનુસાર થોરડી ગામે પીડીતા પોતાના ઘરમાં ગત રાત્રીના એકલા હતા. ત્યારે સાડા આઠ વાગ્યે થોરડી ગામના પ્રફુલભાઇ લાભુભાઇ વેકરીયાએ તેણીના ઘરમાં પ્રવેશી અને તેણીના મકાનને વાવાઝોડામાં થયેલ નુકસાની માટે સહાય મળી જશે તેમ કહી તેની સાથે બળજબરી દુષ્કર્મ આચરીને કરી ઇજા કરતા આ મહિલા અમરેલી હોસ્પિટલમાં દાખલ થઇ હતી અને ત્યાંથી તેમણે આરોપી પ્રફુલ વેકરીયા સામે ફરિયાદ નોંધાવતા સાવરકુંડલાના નાયબ પોલીસ અધિક્ષકશ્રી ચૌધરીને આ ઘટનાની તપાસ સોંપવામાં આવી છે.