સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 4th August 2021

ભાવનગર જિલ્લો બન્યો કોરોનામુક્ત : જિલ્લામાં આજદિન સુધીમાં નોંધાયેલા કુલ ૨૧,૪૨૭ કેસો પૈકી હાલ એકપણ દર્દી સારવાર હેઠળ નહિં

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ભાવનગર જિલ્લામાં આજરોજ એકપણ નવા કોરોના પોઝિટિવ કેસ નહિં નોંધાતા ભાવનગર જિલ્લો કોરોનામુક્ત જીલ્લો બન્યો છે.

જ્યારે તાલુકાઓમાં ૧ પુરૂષ મળી કુલ ૧ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.

આમ, જિલ્લામાં નોંધાયેલા ૨૧,૪૨૭ કેસ પૈકી હાલ એકપણ દર્દી સારવાર હેઠળ નથી. જ્યારે જિલ્લામાં આજદિન સુધીમાં ૨૯૭ દર્દીઓનું અવસાન થયેલ છે.

(9:11 pm IST)