સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 4th September 2020

જૂનાગઢમાં કોરોનાના વધુ 27 પોઝીટીવ કેસ નોંધાયા : 24 દર્દીઓ સાજા થયા

જૂનાગઢ સિટીમાં 15 કેસ, ગ્રામ્યમાં 5 કેસ, કેશોદ અને વિસાવદરમાં 2-2 કેસ , ભેસાણ, માણાવદર અને વંથલીમાં એક એક કેસ નોંધાયો

જૂનાગઢ : જૂનાગઢમાં કોરોનાના વધુ 27 પોઝીટીવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 24 દર્દીઓ સાજા થયા  છે

 જૂનાગઢમાં નોંધાયેલા 27 કેસમાં જૂનાગઢ સિટીમાં 15 કેસ, ગ્રામ્યમાં 5 કેસ, કેશોદ અને વિસાવદરમાં 2-2 કેસ જયારે  ભેસાણ, માણાવદર અને વંથલીમાં એક એક કેસ નોંધાયો છે

(7:51 pm IST)