ત્રાજપર નજીક રીક્ષામાંથી પડી જતા મુસાફરનું મોત
મોરબી,તા.૪: તાલુકાના લાલપરા ગામે રહેતી સુનિતાબેન કરણસિંહ પટેલ નામની પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે કે તેના પતિ કરણસિંહ રીક્ષામાં જઇ રહ્યા હતા ત્યારેઙ્ગ ત્રાજપર નજીક કોઈ કારણોસર રીક્ષામાંથી પડી જતાં તેને ગંભીર ઈજા થતા તેનું મોત નીપજયું હતું મોતની ઘટના બાદ રિક્ષા ચાલક ત્યાંથી નાસી ગયો હતો જેથી પરણિતાએ અજાણ્યા રીક્ષા ચાલક વિરુદ્ઘ ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી અને આરોપીને ઝડપવા માટે કાર્યવાહી હાથ ધરી છે.
માધાપર જાપા પાસે જુગાર રમતા બે શખ્સો ઝડપાયા
માધાપર જાપા પાસે જુગાર રમતા હોવાની બાતમી એ ડિવિઝન પોલીસને મળી હતી જેથી પોલીસે ત્યાં દરોડો પાડતાં યાકુબ પઠાણ અને પરસોતમ ડાભી નોટ નંબર વડે જુગાર રમતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા જેની પાસેથી પોલીસે રૂપિયા ૩૫૮૦ રોકડ કબજે કરી છે.