મોરબીના લાલપર નજીકથી સગીરાનું અપહરણ કરનાર ઇસમ ઝડપાયો
મોરબી,તા.૪ : મોરબી તાલુકાના લાલપર નજીકઆવેલફેકટરીમાંથી સગીરાનું દસેક મહિના પહેલા અપહરણ કરી જનાર ઈસમને ઝડપી લઈને ભોગ બનનારને શોધીકાઢવામાં મોરબી એન્ટીહુમનટ્રાફિકિંગ યુનિટ ટીમને સફળતા મળી છે
જીલ્લા એસપી એસ આર ઓડેદરાના માર્ગદર્શન હેઠળ એન્ટી હુમન ટ્રાફિકિંગ યુનિટ મોરબીના ઇન્ચાર્જ પીઆઈ વી બી જાડેજાની ટીમ મોરબી જીલ્લામાં સગીરવયના બાળકોના અપહરણના ગુન્હાઓ શોધી કાઢવા કાર્યરત હોય દરમિયાન મોરબી તાલુકા પોલીસ મથકમાં અપહરણનો આરોપી મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે હોવાની બાતમી મળતા ટીમને ઇન્દોર ખાતે મોકલી હતી અને આરોપી મનોજ કલુરામ સૂર્યવંશી (ઉ.વ.૨૨) રહે જી. રાજગઢ એમપી વાળાને ઝડપી લઈને ભોગ બનનારને શોધી કાઢવામાં સફળતા મળી છે
જે કામગીરીમાં ઇન્ચાર્જ પીઆઈ વી બી જાડેજાની ટીમના હિતેન્દ્રસિંહ ચુડાસમા, દશરથસિંહ ચાવડા, નંદલાલ વરમોરા, ટેકનીકલ સેલના સંજયભાઈ પટેલ, રજનીકાંતભાઈ કૈલા, અશોકસિંહ ચુડાસમા સહિતની ટીમ જોડાયેલ હતી.