વાંકાનેરમં વિજયાદશમીના સમસ્ત રઘુવંશી લોહાણા સમાજ દ્વારા નાત જમણ (મહાપ્રસાદ) યોજાશે
જ્ઞાતિ અગ્રણી જીતુભાઇ સોમાણીના નેતૃત્વ હેઠળ તડામાર તૈયારી શરૃ
(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ૩: વાંકાનેરમાં દર વર્ષ માફક આ વર્ષે પણ વાંકાનેર શહેર તથા તાલુકાભરમાં વસતા સમસ્ત રઘુવંશી લોહાણાસમાજ દ્વારા વિજયાદશમી (દશેરા) ના પાવન દિને સમુહ પ્રસાદ (નાતજમણ)નું આયોજન કરવામાં આવેલ છે.
તો સમગ્ર વાંકાનેર તથા તાલુકામાં વસતા લોહાણા સમાજના ભાઇઓ-બહેનો સહ પરિવાર સાથે અત્રેની દિવાનપરા ખાતે આવેલ રાજવીર ભગવાનજી ખુશાલચંદ લોહાણા મહાજન વાડી ખાતે તા. પ/૧૦/રરને બુધવારે સાંજે મહાપ્રસાદ તથા જ્ઞાતિ ગંગાના દર્શનનો લાભ લેવા સમસ્ત લોહાણા સમાજને પધારવા વાંકાનેર લોહાણા મહાજન યુવક મંડળ, રઘુવંશી સોસશ્યલ ગ્રુપ તથ મહીલા મંડળ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે જેમાં બહેનો માટે સાંજે ૬ કલાકથી ત્યારબાદ ભાઇઓ માટે ૭-૩૦ કલાકથી મહાપ્રસાદ શરૃ થશે તો દરેકને સમયસર પધારવા મહાજન પ્રમુખ કાકુભાઇ મોદી, યુવક મંડળના પ્રમુખ ધર્મેશભાઇ ભીંડોરા, સુનિભાઇ ખખ્ખર, બટુકભાઇ બૂધ્ધદેવ, વગેરેએ સંયુકત યાદીમાં જણાવ્યું છે