સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 4th October 2022

સુરતમાં જીવરાજભાઇને જન્‍મદિવસની શુભેચ્‍છા પાઠવતા ડો.ચિખલીયા

જુનાગઢ  :  સુરત સમસ્‍ત પાટીદાર ભવન ખાતે જીવરાજભાઇ ધારૂકાવાળાના ૭૬માં જન્‍મ દિવસ નિમિતે યોજાયેલ સેવાકીય કાર્યક્રમ નિમિતે જુનાગઢના ડો. ડી.પી.ચીખલીયાએ જીવરાજભાઇને ભાવનાબેન ચિખલીયા ફાઉન્‍ડેશનનું સન્‍માન પત્ર અર્પણ કરી શાલ ઓઢાડી ગુજરાત પ્રદેશ ભાજપાના અધ્‍યક્ષ સી.આર.પાટીલ સાથે શુભેચ્‍છા પાઠવી હતી. જે તસ્‍વીરમાં નજરે પડે છે. આ તકે કેન્‍દ્રીય મંત્રી શ્રીમતી દર્શનાબેન  જરદોષ પ્રદેશ ઉપાધ્‍યક્ષ જનકભાઇ બગદાણા સુરત શહેર ભાજપના પ્રમુખ નિરંજનભાઇ ઝાજમેર તથા નૌતમ સ્‍વામી સહિત ઉપસ્‍થિત રહયા હતા. (અહેવાલઃ વિનુ જોશી - તસ્‍વીર : મુકેશ વાઘેલા - જુનાગઢ)

(2:00 pm IST)