News of Tuesday, 4th October 2022
વિસાવદરના આઈ શ્રી રૂપલધામમાં અનેરો-અલૌકીક નવરાત્રી મહોત્સવ ‘‘નવદુર્ગા મંદિરનું ભવ્ય આયોજન
(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૪ : વિસાવદર નજીક રામપરા ખાતે આઈ શ્રી રૂપલધામ ખાતે અનેરા-અલૌકીક માહોલમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી થઇ રહી છે.ષાી-પુરૂષોના અલગ જુથમા સંપૂર્ણપણે સાદગી-મર્યાદામા આધ્ય શકિત માતાજીના ગરબા લેવામા આવે છે.ચારણી દેવી આઈ માં રૂપલમાં ગરબે રમે ત્યારે આધ્યાત્મિક-અલૌકીક માહોલ સર્જાય છે.દરરોજ નામી કલાકારો ગરબાની ધૂમ મચાવે છે.નવરાત્રી મહોત્સવ દરમિયાન દેશ-વિદેશ-ગુજરાતભરમાથી ભકતો રૂપલધામ દર્શનાર્થે આવી રહ્યા છે.
જાણવા મળતી માહિતી મુજબ વિસાવદરના રામપરાથી એકદમ નજીક જ નવદુર્ગા માતાજીના મંદિરનુ ભવ્ય આયોજન કરાયુ છે.આ મંદિરનુ નિર્માણ થયે આઈ શ્રી માં રૂપલ માં ત્યાં બીરાજમાન થશે.
(2:02 pm IST)