પોરબંદર બ્રહ્મ સમાજ દ્વારા અભયભાઇ ભારદ્વાજ અને બહ્મ સેવક દિનેશભાઇ જોષીને અંજલી આર્પી
પોરબંદર,તા.૪ : સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા ગોપનાથ મંદિરે શ્રધ્ધાંજલી સભા આયોજન કરીને સંનિષ્ઠ બ્રહ્મ સેવક સ્વ. દિનેશભાઈ પી જોષી અને બ્રહ્મ રત્ન રાજય સભાના સાંસદ અભયભાઈ ભારદ્વાજને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવેલ હતી.
સમસ્ત બ્રહ્મસમાજના ટ્રસ્ટી અશ્વિનભાઈ દવે ઉપરાંત પોરબંદર જીલ્લા પ્રમુખ ભીખાભાઇ જોશી પોરબંદર શહેર પ્રમુખ અશ્વિનભાઈ ઠાકર, નીલેશ ભાઈ વ્યાસ, ભાર્ગવ ભાઈ થાનકી, ધવલભાઈ જોશી, ડાયાભાઇ જોશી સહિતના બ્રહ્મ સમાજના આગેવાનોએ સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખ ના જીલ્લા પ્રમુખ ક્રિષ્નાબેન ઠાકર, નીરૂપમાબેન થાનકી, નિકિતા બેન ટેવાણી સહિતના બહેનોને ભાવપૂર્વક શ્રદ્ઘાંજલિ અર્પણ કરી હતી,
સ્વ. દિનેશભાઈ પી જોષી પતંજલિ યોગ સેવા સમિતિ ના યોગ સેવક હોય પતંજલિ યોગના નરેશભાઈ જુગી, દિનેશભાઈ થાનકી, પરબતભાઇ વાઢેર, હસમુખ ભાઈ શીલુ,વેલુ ભાઈ મોતીવરસ ઉષાબેન શીયાળ સહિત ના પતંજલિ યોગ સેવા સમિતિ ના ભાઈ ઓ બહેનો એ શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. સ્વ.દિનેશભાઈ જોશીના ખાસ મિત્ર મનસુખ ગીરી ગૌસ્વામી એ એમની સાથે ગુજારેલા સ્મરણો વાગોળ્યા હતા અને ભારે હૈયે શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી, સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા યોજાયેલ આ પ્રાર્થના સભામાં સ્વ. દિનેશભાઈ પી જોષીના પરિવારજનો ડો.જયદેવ અને ડો.શ્રૃતી સહિતના ઉપસ્થિત રહ્યા હતા, સેનેટાયઝર સાથે માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ નું પાલન કરી આ પ્રાર્થના સભા માં શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ હતી.