સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીને દિવ્ય શાકોત્સવ શણગાર દર્શન :
વાંકાનેરઃ બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ઘ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળગપુર આયોજિત પવિત્ર ધનુર્માસ નિમિતે દાદા ના દરબાર માં પૂજય શાસ્ત્રી શ્રી હરિપ્રકાશદાસજી મહારાજશ્રી ( અથાણાંવારા ) તેમજ કોઠારી સ્વામીશ્રી વિવેકસાગર સ્વામીજી મહારાજશ્રીના માર્ગદર્શન હેઠળ આજરોજ સવારના સાડા પાંચ કલાકે દાદાની મંગળા આરતી થયેલ તેમજ વિશેષમાં 'દિવ્ય શાકોત્સવ શણગાર દર્શન' યોજાયેલ તેમજ 'શણગાર આરતી, તેમજ સાકોત્સવ દર્શન સવારે સાત કલાકે યોજાયેલ હતા. દાદાના દરબારમાં થતા ઉત્સવ આજે ઘર બેઠા ભાવિક ભકતજનો ONLY ON > YOU TUBE SALANGPUR HANUMANAJI ઉપર લોકો કાયમ દાદા ના લાઈવ દર્શન તેમજ સવાર , સાંજની આરતીનો લાભ લઈ રહયા છે જેયાદી શ્રી કોઠારી સ્વામીશ્રી વિવેક સાગર સ્વામીજી , ડી .કે. સ્વામીજી એ જણાવેલ છે.સાકોત્સવની દિવ્ય મહા આરતી સવારે સાત કલાકે પૂજય શ્રી કોઠારી સ્વામી શ્રી વિવેક સાગર સ્વામીજી એ ઉતારેલ હતી. (તસ્વીર-અહેવાલ : હિતેષ રાચ્છ.વાંકાનેર)