સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th January 2021

શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન અંતર્ગત ગોંડલ તાલુકાની બેઠક યોજાઇ

ગોંડલ તા.પ : શ્રી રામ જન્મભૂમિ ભવ્ય મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન અંતર્ગત ગોંડલ તાલુકા ની વિસ્તૃત બેઠક નું આયોજન થયેલ જેમાં ગોંડલના ગ્રામ્ય વિસ્તારો માંથી સમિતિના કાર્યકર્તાઓ હાજર રહેલા અને શ્રી રામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા અયોધ્યા મુકામે નિર્માણ પામનાર શ્રી રામ મંદિરના ભવ્ય નિર્માણ માટે દરેક હિન્દુનો સહયોગ પ્રાપ્ત થાય એ માટે દરેક હિન્દુ ના દ્યરે ધરે જઇ ને સંપર્ક કરવા માટે ગોંડલ તાલુકા ના ૧૦ મંડલ કેન્દ્ર બનાવવામાં આવ્યા , દરેક મંડલ કેન્દ્ર માં ૮ થી ૧૦ ગામો નો સમાવેશ કરીને ગ્રામ્ય વિસ્તારો ને નાના ભાગો માં વહેંચી દરેક મંડલ કેન્દ્ર ની ટિમ બનાવવામાં આવી જે સક્રિય રીતે કામ કરી ને નાના માં નાના વિસ્તારો સુધી જઈને દરેક હિન્દુઓ ને શ્રી રામ મંદિર નિર્માણ માં સહભાગી બનવા માટે સંપર્ક કરવા જશે. આ અભિયાન ને ભવ્યરીતે સફળ બનાવવા માટે આહવાન કરવામાં આવેલ અને 'રામ લલ્લા હમ આયેંગે, મંદિર ભવ્ય બનાયેંગે' ના નારા સાથે બેઠક પૂર્ણ કરવામાં આવેલ હતી.

(11:18 am IST)