ગોંડલમાં શ્રી દ્વારકેશ પુષ્ટી માર્ગીય પુસ્તકાલયનું ઉદ્ઘાટન
(અશોક જોષી દ્વારા) ગોંડલ,તા.૫ :ગોંડલ ખાતે પુ.પા.શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી અમરેલી ચંપારણ્યવાળાના હસ્તે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવો માટે પાઠશાળા તેમજ મહારાજશ્રી તેમજ સ્થાનિક ભાવિકો તરફથી મળેલ પુસ્તકો અને ગ્રંથોની સહાયથી ધર્મના સિઘ્ધાંતો, શાસ્ત્રનુ જ્ઞાન, શોડસગ્રંથો, શ્રી ભાગવત, શુબોધ્નીજી, શિક્ષાપત્ર તેમજ અન્ય પ્રભુની સેવા સ્મરણ સત્સંગ ભગવદવાતીને લગતા અનેક પુસ્તકો શ્રી વલ્લભકુળના બાલકો અને શાસ્ત્રીઓના લેખોથી સભર વિવિધ સાહીત્ય વાંચવાનો લાભ મળે તેવા પુસ્તકો સર્વને મળી રહે તેવા ઉદેશથી આ પુસ્તકાલય ગોડલમાં જેતપુર રોડ ઉપર ત્રણખુણીયા પાસે શ્રીનાથજી ચેમ્બરમાં બીજા માળે દુકાન નં.૧૧૯ મો શરૂ કરેલ છે. તેનો સમય સવારના ૧૦:૦૦ થી ૧૨:૩૦ અને સાંજે ૪:૦૦ થી ૬:૩૦ રાખેલ છે. આ પ્રસંગે ગોંડલના અગ્રણી વૈષ્ણવ મહેશભાઈ વિરડીયા, વિઠલભાઈ ધડુક, ભગવાનજીભાઈ મણવર, મિતુલભાઈ ખીમાણી, કમલેશભાઈ તન્ના તેમજ અન્ય વૈષ્ણવો ઉપસ્થિત રહયા હતા આ પ્રસંગે સર્વેને મહારાજશ્રીએ આવા પુસ્તકોનો વાંચનનો લાભ લઈ ઘરે બેઠા ભગવદ નામ સત્સંગમય જીવન જીવવાની શીખ આપેલ હતી. આ પુસ્તકાલય માટે પુસ્તક મેળવવા માટે ભગવાનજીભાઇ મો.નં. ૯૮૭૯૩ ૫૪૫૮૫ , વિઠ્ઠલભાઇ મો.નં. ૯૯૧૩૨ ૨૧૧૧૮ ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.