મોરબી નજીક અકસ્માતમાં ચાર વ્યકિતના મૃત્યુ મામલે આર્થિક સહાયની માંગ
રાજસ્થાનના વતનીએ જિલ્લા કલેકટરને રજૂઆત કરી
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૫ : મોરબીના માળિયા ફાટક નજીક અકસ્માતમાં રાજસ્થાનના રહેવાસી બે સગા ભાઈઓ સહીત ચારના મોત થયા હતા જે બનાવ મામલે મૃતકના પરિવારને આર્થિક સહાયની માંગ સાથે કલેકટરને રજૂઆત કરાઈ છે.
રાજસ્થાનના ઉદેપુર જીલ્લાના વતની પ્રતાપ્લાલ ગાજીંગ ગામેતી અને વકતારામ ગાજીંગ ગામેતીએ જીલ્લા કલેકટર મોરબીને રજૂઆત કરી જણાવ્યું છે કે પરિવારના સભ્યો જેમાં તેજારામ વકતારામ ગામેતી, શિવાજી પ્રતાપલાલ ગામેતી, સુરેશ પ્રતાપલાલ ગામેતી, મનહરલાલ ઉમેદજી ગામેતી અને દિનેશ ટમજી ગામેતી મોરબી મજુરી અર્થે આવ્યા હતા અને ગત તા. ૨૮-૦૧ ના રોજ ચાલીને રોડ ક્રોસ કરતા હોય ત્યારે અજાણ્યા વાહને અકસ્માત સર્જતા ચારના ઘટનાસ્થળે જ મોત થયા હતા તો દિનેશ ગામેતીની રાજકોટ સારવાર ચાલી રહી છે.
જે પરિવારમાં હાલ કમાઈ શકે તેવું કોઈ સભ્ય નથી અને અરજદારો પણ વયોવૃદ્ઘ હોય જેથી કામકાજ કરી સકે તેમ ના હોય જેથી પરિવારને આર્થિક સહાય કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે પરિવાર આર્થિક રીતે નબળો હોય જેથી રાજયના મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાનને અરજી મોકલી આર્થિક સહાય મળે તેવી માંગ કરવામાં આવી છે.