સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 5th February 2023

મોરબી : સાર્થક વિદ્યામંદિરમાં હાર્ટફૂલનેશ મેડીટેશન પદ્ધતિ દ્વારા એક્ઝામ સ્ટ્રેસ મેનેજમેન્ટ સેમીનાર યોજાશે.

બોર્ડની પરીક્ષાઓ નજીક છે ત્યારે બોર્ડના વિદ્યાર્થીઓને પરીક્ષાના હાઉથી દુર રાખવા માટે સાર્થક વિદ્યામંદિર દ્વારા અનેરું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હાર્ટફૂલનેશ મેડીટેશન પદ્ધતિ દ્વારા વિદ્યાર્થીને માર્ગદર્શન આપવામાં આવશે

સાર્થક વિદ્યામંદિર ખાતે તા. ૦૬ થી ૮ ફેબ્રુઆરી સુધી સવારે ૦૮ : ૩૦ થી ૧૦ કલાક દરમીયાન શાળાના ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ માટે એક્ઝામ સ્ટ્રેટ મેનેજમેન્ટ સેમીનારનું આયોજન કરાયું છે જેમાં ત્રણ દિવસ સુધી વિદ્યાર્થીઓને પદ્મભૂષણથી સન્માનિત કમલેશભાઈ પટેલ હાર્ટફૂલનેશ પદ્ધતિથી પરીક્ષાનો હાઉ કેમ દુર કરવો તેનું માર્ગદર્શન પૂરું પાડશે સાર્થક વિદ્યામંદિર દ્વારા આયોજિત સેમિનારનું સંચાલન વિન પ્લસ વાળા લાલિતભાઈ ચંદે કરશે અને સંપૂર્ણ કાર્યક્રમનું માર્ગદર્શન કમલેશભાઈ ડી પટેલ કરશે.

(9:42 pm IST)