સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 5th May 2021

ચલાલા : કોરોના સંકટમાં ડો.વિજયભાઇ તથા ડો.દેવભાઇની સરાહનીય કામગીરી

ચલાલા તા.પ : અમરેલીના ફિઝીશીયન ડો.વિજય વાળા સવારથી મધરાત સુધી કોરોના પેશન્ટની સારવાર કરીને દર્દીને સાજા કરે છે. તેઓ અવિરત કામ કરી માણસોની જીંદગી બચાવી રહ્યા છે.

ચલાલાના ડો.દેવવાળા ચલાલાને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ઘરે ઘરે જઇને લોકોને સારવાર આપી સાજા કરે છે. ડોે.દેવવાળાનો સકારાત્મક અભિગમ સાથે પોતાની વણથંભી સક્રિયતા જાળવી રાખી છે.

(10:08 am IST)