ભાવનગરમાં હોસ્પિટલમાં ત્રીજા માળેથી ઝંપલાવી કોરોના દર્દીનો આપઘાત
સર.ટી. હોસ્પિટલમાં ગ્રીલ વગરની બારીમાંથી અરવિંદ વાલજીભાઇ કણોતરાએ છલાંગ લગાવીને મોત મીઠુ કર્યું
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા. ૫: ભાવનગરની હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહેલા યુવાને બિલ્ડીંગ ૩ જા માળેથી પડતુ મુકી આપઘાત વહોરી લીધો હતો.
ભાવનગરમાં કોરોના સંક્રમણ વધી રહ્યુ છે. ત્યારે કોરોનાગ્રસ્ત યુવાને હોસ્પિટલના ત્રીજા માળેથી મોતની છલાંગ લગાવી આત્મહત્યા વહોરી લેતા અરેરાટી ફેલાઇ ગઇ છે.
બનાવની વિગતો એવી છે કે શહેરના પ્રભુદાસ તળાવ મારદવિહાર અખાડા નજીક રહેલા અરવિંદભાઇ વાલજીભાઇ કણોતરા (ઉવ.૪૫) તે કોરોના પોઝીટીવ હોય ૫ દિવસની સારવાર બાદ તેને સર.ટી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ. દરમ્યાન કોઇ કારણોસર અરવિંદભાઇએ પોતાના બેડની સામેના ભાગે આવેલી ગ્રીલ વગરની ખુલ્લી બારીમાંથી પડતુ મુકી આપઘાત વહોરી લીધો હતો. આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.