સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 5th May 2021

કચ્છમાં કોરોનાથી આકાશવાણીના નિવૃત્ત અધિકારીના પરિવારમાં ત્રણના મોત : નવા ૧૬૨ કેસ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૫ : કચ્છમાં જીવલેણ બની રહેલ કોરોના વચ્ચે તંત્ર દ્વારા હજીયે આંકડાનો ખેલ ચલાવાઈ રહ્યો છે. સરકારી ચોપડે ૩ મરણ અને નવા ૧૬૨ કેસ નોંધાયા છે. જોકે, ભુજમાં સ્મશાન અને કબ્રસ્તાનમાં મોતની સંખ્યા વધી છે.

ભુજમાં આકાશવાણીના નિવૃત્ત અધિકારી ડો. ઉમર સમા સહિત તેમના પરિવારના અન્ય બે સદસ્યો પત્ની તેમજ તેમના સસરા એમ ત્રણ જણ કોરોના સામે જિંદગી હારી ગયા છે.  એક જ પરિવારના ત્રણ ત્રણ જણના મોતથી ગમગીનીનો માહોલ છે. ડો. ઉમર સમા રંગભૂમિના પણ અચ્છા કલાકાર હતા. તેમણે ઇલેકટ્રોનિક મીડિયા ઉપર ડોકટરેટ કર્યું હતું.

(11:15 am IST)