સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 5th May 2021

કુવાડવાના કોઠારીયામાં ૩૨ વર્ષના મુકેશભાઇ જાદવનો ઝેર પી આપઘાત

રાજકોટ તા. ૫: કુવાડવા તાબેના કોઠારીયા ગામે રહેતાં મુકેશભાઇ આલજીભાઇ જાદવ (ઉ.વ.૩૨) નામના યુવાને ઝેરી દવા પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મોડી રાતે દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

સિવિલ હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ આ અંગે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી. મુકેશભાઇ બે ભાઇ અને બે બહેનમાં મોટા અને અપરિણિત હતાં. ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. તેના કોૈટુંબીક ભાઇએ જણાવ્યું હતું કે મુકેશભાઇનું સગપણ થયું ન હોઇ કદાચ તે બાબતે તેને મનમાં લાગી આવતાં આ પગલુ ભર્યાની શકયતા છે. પોલીસે વધુ તપાસ યથાવત રાખી છે. હેડકોન્સ. અજયભાઇ નિમાવત અને રોહિતદાન ગઢવીએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(11:18 am IST)