વિસાવદરના વેપારીને સરસઇનાં ત્રણ શખ્સોનો રૂ.૩પ.૭૦ લાખનો ધુંબો
ટાયર અને ડ્રાયફ્રૂના એડવાન્સ લઇ નાણા ઓળવી ગયા
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.પ : વિસાવદરનાં વેપારીને સરસઇ ગામના ત્રણ શખ્સો ટાયર અને ડ્રાઇફૂટના માલના એડવાન્સ નાણા લઇ રૂ.૩પ.૭૦ લાખનો ધુંબો મારી દેતા વેપારી આલમમાં હલચલ મચી ગઇ છે.
આ અંગેની વિગતો એવી છે કે વિસાવદરના ઇશ્વરીયા (માંડાવડ) ગામે રહેતા વજુભાઇ ભગવાનભાઇ જાંબુડીયા વગેરેને વિશ્વાસમાં લઇ સરસઇનાં રજનીક મુકેશભાઇ વિરડીયા, મુકેશભાઇ કુરજીભાઇ વિરડીયા અને ધનજીભાઇ કુરજીભાઇ વિરડીયાએ ટાયર તથા ડ્રાઇફ્રૂટના માલની ડીલવરીના એડવાન્સમાં રૂ.૩પ.૭૦ લાખ લીધા હતા.
આ પછી માલની ડીલીવરી નહિ થતા વજુભાઇ વગેરેએ પૈસાની ઉઘરાણી કરવા જતાં આ શખસોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ અંગે પોલીસે ફરિયાદ લઇ ત્રિપુટી સામે વિશ્વાસઘાત અને છેતરપીંડીનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.