મોરબી જિલ્લામાં આજે કોરોનાના નવા ૧૦૪ કેસ : સરકારી ચોપડે એક પણ મૃત્યુ નહિ
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૫ : મોરબી જીલ્લામાં કોરોના કેસનો આંક ૧૦૦ને પાર પહોંચી રહ્યા છે. કોરોનાના નવા ૧૦૪ કેસ નોંધાયા છે જયારે ૬૩ દર્દીઓ સ્વસ્થ થયા છે. સરકારી ચોપડે એકપણ મૃત્યુ નોંધાયું નથી. નવા કેસોમાં મોરબી તાલુકાના ૭૮ કેસોમાં ૪૭ ગ્રામ્ય અને ૩૧ શહેરી વિસ્તારમાં, વાંકાનેરનો ૦૧ કેસ ગ્રામ્ય વિસ્તારમાં, હળવદ તાલુકાના ૧૧ કેસોમાં ૦૭ ગ્રામ્ય અને ૦૪ શહેરી વિસ્તારમાં, ટંકારા તાલુકાના ૧૨ કેસો ગ્રામ્ય પંથકમાં જયારે માળિયા તાલુકાના ૦૨ કેસો ગ્રામ્ય પંથકમાં મળીને નવા ૧૦૪ કેસ નોંધાયા છે જયારે ૬૩ દર્દી સ્વસ્થ થયા છે સરકારી રેકર્ડ મુજબ એકપણ દર્દીનું મોત થયું નથી. નવા કેસો સાથે જીલ્લામાં એકટીવ કેસનો આંક ૮૮૨ થયો છે. કોવીડ પ્રોટોકોલ મુજબ ૧૩ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.