ભારતી આશ્રમે શિક્ષકોનો ઘોષણા કાર્યક્રમ યોજાયો
જુનાગઢ : રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા જૂનાગઢ જિલ્લામાં માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક અને આચાર્ય વિભાગની ટીમ ની વિધિવત ઘોષણા કાર્યક્રમમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના ગુજરાત પ્રાંતના અધ્યક્ષ ઘનશ્યામભાઇ પટેલ રાજ્યના માધ્યમિક વિભાગના રાજ્ય અધ્યક્ષ રમેશભાઇ ચૌધરી સહિતના પ્રદેશમાંથી હોદ્દેદારો ઉપસ્થિત જૂનાગઢ જિલ્લામાં ત્રણેય ટીમની રચના કરવામાં આવી જેમાં માધ્યમિક વિભાગમાં જૂનાગઢ જિલ્લાના અધ્યક્ષ તરીકે જીતુભાઈ ખુમાણ ની વરણી કરવામાં આવી તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં જિલ્લા અધ્યક્ષ તરીકે રાકેશભાઈ પુરોહિતની વરણી કરવામાં આવી તેમજ આચાર્ય વિભાગમાં જિલ્લાના અધ્યક્ષ તરીકે સુધીરભાઈ ડોડીયાની નિમણુક કરવામાં આવી આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના ઊંચ સંવરગ વિભાગના અધ્યક્ષ બલરામ ભાઈ ચાવડા અને મહામંત્રી વિશાલભાઈ જોશી ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર જૂનાગઢ જિલ્લામાંથી શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ ભારતી આશ્રમ ભવનાથ ખાતે કાર્યક્રમ યોજાયો જેમાં ભારતી આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતી બાપુ ઉપસ્થિત રહી અને આશિર્વચન પાઠવ્યા હતા.