પોરબંદર એબીવીપીમાં હોદેદારોની ગેરકાયદે નિમણુંકો કરનારા સામે કાર્યવાહી કરવાની પ્રદેશમંત્રી હિમાલયસિંહની ચીમકી
(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., પઃ અખીલ ભારતીય વિદ્યાર્થી પરીષદના હોદેદારોની ગેરકાયદે નિમણુંક કરનારા સામે કાયદેસર કાર્યવાહી કરવાની ચીમકી એબીવીપીના પ્રદેશ મંત્રી હિમાલયસિંહે આપીને જણાવેલ કે એબીવીપી વિશ્વકક્ષાએ કામ કરતુ વિદ્યાર્થી સંગઠન છે અને જેના હોદદારોનું માળખુ કોઇ રાજકીય આગેવાનો કરી શકે નહી.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદની પોરબંદર જીલ્લાના હોદેદારોની ઘોષણા કરવામાં આવી હતી.આ ઘોષણા થયાની સાથે જ અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદનું પ્રદેશ કાર્યાલય હરકતમાં આવી ગયું હતું. કારણ કે પોરબંદર જીલ્લાના હોદેદારોની નિમણુંક બાબતે પ્રદેશ એબીવીપીને કોઇ પણ જાતની જાણ કરવામાં આવી ન હતી. આ ઉપરાંત એબીવીપી વિશ્વ કક્ષાએ કામ કરતુ વિદ્યાર્થી સંગઠન છે અને તેને કોઇ રાજકીય પક્ષ કે રાજકીય પક્ષના હોદેદારો માળખુ જાહેર કરી શકે નહી. આમ છતા રાજકીય જશ ખાટવા માટે ધારાસભ્ય બાબુભાઇની હાજરીમાં ભાજપ યુવા મોરચાના શહેર પ્રમુખ સાગરમોદીના માર્ગદર્શન હેઠળ પોરબંદર વિદ્યાર્થી પરીષદની ટીમ જાહેર કરવામાં આવતા અને સોશ્યલ મીડીયામાં ધારાસભ્ય બાબુભાઇ અને યુવા ભાજપના આગેવાનોના ફોટા સાથે પોસ્ટ મુકવાનું અખીલ ભારતીય વિદ્યાર્થી પરીષદના પ્રદેશ કાર્યાલયના ધ્યાનમાં આવતા એબીવીપીના પ્રદેશ મંત્રી હિમાલયસિંહે પ્રેસ રીલીઝ કરી પોરબંદર ભાજપ દ્વારા કરવામાં આવેલ વિદ્યાર્થી પરીષદના હોદેદારોની નિમણુંકો ગેરકાયદેસર છે તેમ જણાવી અને આ ઘટનાને સખત શબ્દોમાં વખોડતા આ કૃત્ય સામે અખીલભારતીય વિદ્યાર્થી પરીષદ કાયદેસરની કાર્યવાહી કરશે તેમ એબીવીપીના પ્રદેશ મંત્રી હિમાલયસિંહે ચીમકી આપી છે.