સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 5th September 2020

સાંસદના પ્રયાસો સફળ : જામનગર મુંબઇ વચ્ચેની ફલાઇટ બંધ નહીં થાય

જામનગર,તા. ૫: કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીશ્રીનેઙ્ગ જામનગરના સંસદસભ્ય પૂનમબેન માડમએ એ રજુઆત કરતા જામનગર-મુંબઇ ફ્લાઇટ રાબેતા મુજબ ઉડશે અને બંધ કરવાનો નિર્ણય મોકુફ રાખવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે જામનગર મુંબઇ વચ્ચેની વિમાની સેવા આગામી દિવસોથીઙ્ગ બે મહિના માટે બંધ કરવા નિર્ણય લેવાયો હતો જેથી નોંધપાત્ર સંખ્યાનાઙ્ગ મુસાફરો-બીઝનેસમેન-હેલ્થ રીલેટેડ પ્રવાસીઓ-વિદેશ જનારા પ્રવાસીઓ -ધંધા રોજગાર સામાજીક પ્રવાસ વગેરે સાથે સંકળાયેલા મુસાફરો તરફથી આ ફ્લાઇટ શરૂ રાખવા માંગણી હતી જે બાબતને સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમએ ગંભીરતાથી લઇ કેન્દ્રસરકારના વિગતવાર રજુઆત કરી ફ્લાઇટ કન્ટીન્યુ રહે તેવી મુસાફરોના હિતમા માંગણી કરી હતી.

(12:49 pm IST)