સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 5th September 2020

જુનાગઢ જિલ્લામાં વધુ ર૯ વ્યકિતને કોરોના કુલ કેસ ૧૮૩૭ થયા

ર૯ માંથી જુનાગઢ સીટીના ૧૬ કેસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. પ : જુનાગઢ જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસ દિનપ્રતિદિન વધી રહ્યા છે. શુક્રવારે નવા ર૯ કેસ સામે આવતા કુલ કેસ વધીને ૧૮૩૭ થયા છે.

ગઇકાલે જુનાગઢ સીટીના ૧૬ કેસ, જુનાગઢ અને વિસાવદર તાલુકાના ત્રણ-ત્રણ કેસ, કેશોદમાં બે, તેમજ ભેંસાણ, માળીયા, માણાવદર, માંગરોળ અને વંથલીમાં ૧-૧ કેસ નોંધાયો હતો. તેમજ જુનાગઢ શહેરમાં એક કોરોના દર્દીનું મૃત્યુ પણ નિપજયું હતું. જો કે ર૪ કોરોના દર્દી સ્વસ્થ થતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી હતી. જયારે કેશોદની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના વધુ ત્રણ કર્મચારીને પણ કોરોના થયો હવાનું જાણવા મળેલ છે.

(1:04 pm IST)