સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 5th September 2020

તાલાલાગીરના જાણીતા તબીબ સંદિપ ગોસાઇ કોરોના સામે હારી ગયા

તાલાલાગીર તા. પ : ગીર સોમનાથ જીલ્લાના તાલાલાગીરના જાણીતા તબીબ સંદિપ ગોસાઇનું કોરોનાથી અવસાન થતા ઘેરો શોક છવાઇ ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ તાલાલાગીરમાં બાપાસીતારામ હોસ્પિટલ ધરાવતા ડો. સંદિપ ગોસાઇને કોરોના થતા સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં તેમણે આજે સવારે અંતિમ શ્વાસ લીધા હતા.  ડો. સંદિપ ગોસાઇ તાલાલા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના દર્દીઓના આરોગ્યની કાળજી રાખવામાં સતત ખડે પગે રહેતા હતા.

(2:33 pm IST)