સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 5th September 2020

મોરબી જીલ્લામાં શનિવારે કોરોનાના નવા ૨૮ કેસ, વધુ ૧૬ દર્દીઓ ડીસ્ચાર્જ

મોરબી જીલ્લામાં પ્રતિદિન કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે જેમાં શનિવારે કોરોનાના નવા ૨૮ કેસો નોંધાયા છે જયારે ૧૬ દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે
મોરબી જીલ્લામાં આજના નવા કેસોમાં મોરબી તાલુકાના ગ્રામ્યમાં ૦૫ અને શહેરી વિસ્તારમાં ૧૪ સહીત ૧૯ કેસો નોંધાયા છે વાંકાનેરમાં ૦૪ ગ્રામ્ય અને ૦૧ શહેરી વિસ્તારમાં મળીને ૦૫ કેસો, હળવદમાં ૦૩ કેસો ગ્રામ્ય પંથકમાં જયારે માળિયામાં ૦૧ કેસ ગ્રામ્ય પંથકમાં મળીને કુલ ૨૮ કેસ નોંધાયા છે
જયારે વધુ ૧૬ દર્દીઓ સ્વસ્થ થતા ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે નવા કેસો સાથે કુલ કેસનો આંક ૧૦૯૮ થયો છે જેમાં ૨૪૧ એક્ટીવ કેસ જયારે ૮૦૧ દર્દીઓ સ્વસ્થ થયા છે

(9:24 pm IST)