ગોંડલમાં જ્યોતિરાદિત્યસિંહ જાડેજાની આગેવાનીમાં ૩૫૦ યુવાનો ભાજપમાં જોડાયા
યુવાનોએ રાષ્ટ્રભકિતનું પ્રણ લઇ માર્કેટિંગ યાર્ડ ખાતે ભાજપ અગ્રણીની ઉપસ્થિતિમાં કેસરિયો ધારણ કર્યો
(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૫ : વિધાનસભાની ચુંટણી પૂર્વે ગોંડલમાં ૩૫૦ યુવાનો એ કેસરિયો ધારણ કર્યો છે.ᅠ યુવા ભાજપ અગ્રણી જયોતિરાદિત્યસિંહ જાડેજા (ગણેશભાઈ)ની આગેવાનીમાંᅠ ૩૫૦ યુવાનો ભાજપમાં જોડાયા છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતેᅠ યુવાનો એ ભારતીય જનતા પાર્ટીનો કેસરિયો ખેસ ધારણ કર્યો હતો અને યુવાનોએ રાષ્ટ્ર ભક્તિનો પ્રણ લીધું હતું.
વિધાનસભામાં ભાજપની જીત માટે ઉત્સાહ પૂર્વક કામે લાગવા અહવાન કરાયુ હતુ.આ તકે માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા અને વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા, નાગરિક બેંક ચેરમેન અશોકભાઈ પીપળીયા, પ્રફુલભાઈ ટોડીયા, તાલુકા પંચાયત પ્રમુખ ભાર્ગવભાઈ અંદિપરા, રાજકોટ જિલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ જયદીપસિંહ જાડેજા, વિધાનસભા યુવા સયોજક સમીરભાઈ કોટડીયા. યોગેશભાઈ કયાડા.ᅠ યુવા ભાજપ પ્રમુખ રવિભાઈ કાલરીયા,ᅠ તાલુકા યુવા ભાજપ પ્રમુખ કિશનભાઇ ઠુમર, વિધાનસભા ના વિસ્તારક અંકિતભાઈ ચૌહાણ સહિતનાઓ ઉપસ્થિત રહી ને યુવાનોને માર્ગદર્શન આપ્યું હતું .આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રવિભાઈ કાલરીયા અને મહિદિપસિંહ જાડેજા સહિત યુવા ભાજપની ટીમે જહેમત ઉઠાવી હતી.