વિશ્વનાં મંગલ અને કલ્યાણની ભાવનાનાં દિવ્ય સંકલ્પ સાથે કાલાવડ (શીતલા) ખાતે
સદગુરુદેવ પૂ.પારસમુનિ મ.સા. દ્વારા દસ દિવસીય આત્મ સાધના અનુષ્ઠાન પૂર્ણ થતાં કાલે ભવ્ય સામૈયું: નવકારશી
રાજકોટ,તા. ૫ : ગોંડલ સંપ્રદાયના ગાદીપતિ પૂજય શ્રી ગિરિશચંદ્રજી સ્વામીનાં પ્રથમ સુશિષ્ય મહામંત્ર પ્રભાવક ગુરુદેવ પૂજય શ્રી જગદીશમુનિ મહારાજ સાહેબનાં પરમ અંતેવાસી સુશિષ્ય સદગુરુદેવ પૂજય શ્રી પારસમુનિ મહારાજ સાહેબ ગુરુવર્યોની પરમ કૃપાથી મનમાં વિશ્વનાં મંગલ અને કલ્યાણની ભાવના અને હ્રદય મંદિરમાં જીવમાત્ર પ્રત્યે પ્રેમ વાત્સલ્ય ભાવનાનાં દિવ્ય સંકલ્પ સાથે દસ દિવસની તપ- જપ- ધ્યાન- મૌન યુક્ત દિવ્ય આત્મ સાધના અનુષ્ઠાન નિર્વિઘ્ને સંપન્ન કરી પ્રથમ દર્શન આપશે.
ત્યારે તેમની તેજોમય ઊર્જાયુક્ત પ્રસન્ન મુખમુદ્રાનાં દર્શન કરવા, અને મહામાંગલિક ફરમાવશે તે પરમ પવિત્ર સાધના પૂંજ દ્વારા પ્રથમ મહામાંગલિક શ્રવણ કરી સ્વયંમાં દિવ્યતા પ્રાપ્ત કરવા તથા ગુરુકૃપા પ્રાપ્ત કરવા, આ સાધનાની અલૌકિક ઊર્જાનો અહેસાસ કરવાનો અવસર જનજન ને પ્રાપ્ત થાય માટે દર્શન વંદનનો કાર્યક્રમ દિવ્ય સાધનાલય કાલાવડ શીતલામાં દિવ્ય ફાઉન્ડેશન અને શ્રી વણિક જૈન સંઘ કાલાવડ દ્વારા તા.૬ નેગુરુવારે સવારે ૭ કલાકે દિવ્ય સાધનાલય, યતિવર્ય પૂજય શ્રી ગાંગજીવીરઋષિની ડેરી , કાલાવડ શીતલામાં આયોજન કરવામાં આવેલ છે.ᅠ સર્વ શ્રાવક શ્રાવિકાઓએ પધારવા ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવેલ છે. કાર્યક્રમ બાદ પ્રસાદ (નવકારશી) રાખવામાં આવેલ છે એમ કાલાવડ સંઘ પ્રમુખ પી.સી. મહેતા અને દિવ્ય ફાઉન્ડેશનનાં ટ્રસ્ટી અશોકભાઈ કોઠારી, શૈલેષભાઈ માંઉની યાદીમાં જણાવ્યું છે.