News of Wednesday, 5th October 2022
ઓખા ગુજરાત મેરીટાઇમ બોર્ડ કર્મચારી ગરબી મંડળ દ્વારા આઠમના નોરતે અલગ અલગ કાર્યક્રમ
ઓખા ગુજરાત મેરીટાઇમ બોર્ડ કર્મચારી ગરબી મંડળ દ્વારા આઠમના નોરતે ડોટીવાલા કલબ ખાતે અન્નકોટ રાખવામાં આવેલ.અન્નકોટના મુખ્ય યજમાન સ્વ.નિર્મલાબેન રમેશભાઈ મોતીવારસ, સ્વ.રમેશભાઈ હસ્તે ભરત રમેશભાઈ મોતીવારસ હતા. તેમજ કૃષ્ણ જન્મોત્સવ અને નરસિંહ મહેતાની હૂંડીનો એક કાર્યક્રમ રાખવામાં આવેલ. ઓખા ડોટીવાલા કલબ ખાતે અતિ પૌરાણિકમાં અંબેનું મંદિર આવેલ છે. અંદાજીત ૪૫ વર્ષથી ગરબી થાય છે. નવરાત્રીમાં રોજ અલગ અલગ કાર્યક્રમ કરવામાં આવે છે અને દરરોજ એક જનરલ રાસ પણ રાખવામાં આવે છે. આ સમગ્ર નવરાત્રીના આયોજનને સફળ બનાવવા ઓખા ગુજરાત મેરીટાઇમ બોર્ડ કર્મચારી મંડળ દ્વારા જહેમત ઉઠાવવામાં આવે છે.(તસ્વીર-અહેવાલઃ ભરત બારાઇઃ ઓખા)
(3:02 pm IST)