વિસાવદરની બેઠક કોંગ્રેસ જ જાળવી રાખશે : કોંગ્રેસ પ્રમુખ વાડોદરિયાનો દાવો
(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૫ : વિસાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરશનભાઇ વાડદોરીયાએ જણાવેલ કે,આમા કોઈ જ આヘર્યજનક ઘટના નથી,ધારણા પ્રમાણેની જ સ્થિતિ આકાર પામી છે, છેલ્લા છ આઠ મહિનાથી આ વાત વ્યાપક પ્રમાણમા સમગ્ર વિધાનસભા મતક્ષેત્રમા સૌની જાણમા હતી. કોંગ્રેસ એક વિચારધારા છે.. કોંગ્રેસના મતદારો જ કાર્યકરો-આગેવાનો છે, જેથી કોઇના જવાથી કોંગ્રેસને કોઈ જ ફરક પડવાનો નથી.. કોંગ્રેસમા ગામડે ગામડે સ્વયંભૂ ઉત્સાહ છે અને વિસાવદર-ભેસાણની બેઠક પર પાર્ટી કોઈ પણને ટિકિટ આપે વિજય નિヘતિ કોંગ્રેસનો જ થશે તેવો જબરો આત્મવિશ્વાસ વાડદોરીયાએ વ્યક્ત કર્યો હતો.
અત્રે ઉલ્લેખનિય છે કે,હર્ષદભાઈ રિબડીયા કોંગ્રેસ પક્ષના આ વિસ્તારના સતત બબ્બે વખત ધારાસભ્ય તથા પ્રદેશ કોંગ્રેસ કિશાન મોરચાના અધ્યક્ષ તથા જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે જેથી આ જવાબદારીના ફરજના ભાગરૂપે વિવિધ પ્રશ્ને સતત ભાજપ અને ભાજપ સરકાર સામે જ લડ્યા છે,હવે જયારે ભાજપ પાર્ટીમાજ જોડાઈ અને ભાજપની ટીકીટ પર કોંગ્રેસ સામે ચૂંટણી લડવાનુ થશે ત્યારે આ બેઠક પરનો ચંૂટણી જંગ રસપ્રદ અને પ્રતિષ્ઠાભર્યો બની રહેશે એ નિશ્ચિત છે.