જામનગરનો બે બૂટલેગર પાસામાં
જામનગર,તા. ૬: અસામાજીક પ્રવૃત્તિ કરતા ઇસમો વિરૂદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી પો. ઇન્સ. એ પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ મારફતે જીલ્લા મેજીસ્ટ્રેટ સૌરભ પારધી તરફ મોકલતા જીલ્લા મેજીસ્ટ્રેટનાઓએ વોરંટ ઇસ્યુ કરતા જે પાસા વોરંટની બજવણી પોલીસ ઇન્સ. જે. વી. ચૌધરીએ કરી, સુરત તથા વડોદરા જેલમાં ભીમભા રાણાભા કેર રહે. આરંભડા ગામ તા. દ્વારકા, રૂપાભાઇ ઉર્ફે રૂપસીંગ વાલાભા માણેક રહે. મેવાસા ગામ તા. દ્વારકા ને મોકલી આપેલ છે. ઉપરોકત કામગીરી પો. સબ. ઇન્સ. એસ.પી. ગોહિલ પી.એન. મોરીનાઓ તથા એલ.સી.બી. સ્ટાફના સંજયસિંહે વાળા હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, હીરેનભાઇ વરણવા, શરદભાઇ પરમાર ફિરોઝભાઇ ખફી, દિલીપભા તલવાડીયા, ભગીરથસિંહ સરવૈયા, નિર્મળસિંહ જાડેજાહરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકાવણા, ધાનાભાઇ મોરી, અશોકભાઇ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા રાકેશભાઇ ચૌહાણ કિશોરભાઇ પરમાર, દયારામ ત્રિવેદી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા બિજલભાઇ બાલાસરા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.