જસદણ તાલુકા કર્મચારી શરાફી સહકારી મંડળીના પ્રમુખપદે પ્રતાપભાઇ ધાધલની સતત સાતમી વખત બિનહરીફ વરણી
(ધર્મેશ કલ્યાણી દ્વારા)જસદણ તા. ૬: જસદણ તાલુકાના કર્મચારીઓની શરાફી સહકારી મંડળીની વ્યવસ્થાપક સમિતિની બેઠક મળતા તેમાં મંડળીના પ્રમુખ સ્થાને પ્રતાપભાઈ આર. ધાધલ સતત સાતમી વખત બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. ઉપરાંત મંડળીના ઉપપ્રમુખ સ્થાને જીતેન્દ્રભાઈ વી. પટેલ પણ સતત ૫મી વખત બિનહરિફ ચૂંટાઈ આવ્યા હતા. આ મંડળીમાં ૯૦૦ થી પણ વધારે સરકારી કર્મચારીઓ સભાસદ છે અને ૧૩ કરોડથી વધારે કાર્યકારી ભંડોળ સાથે જસદણ તથા વિંછીયા તાલુકામાં ૬૨ વર્ષથી સતત કાર્યશીલ છે. આ મીટીંગ બાદ કમિટી સભ્ય પી.એમ.ભેસાણીયા, એન.ડી.સરીયા, એસ.વી.મોડા, આર.આર.કુકડીયા, વી.આર.રાબા, જે.સી.મકાણી, એચ.એન.પટેલ, એસ.વી.સાકરીયા, જી.એ.પંડયા, વી.બી.માંડલિયા તેમજ મંડળીના કર્મચારીગણે પ્રમુખ તથા ઉપપ્રમુખને ઉષ્માભેર અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.