સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 6th April 2021

મોરબીમાં હોલસેલ દુકાનો બપોર બાદ બંધ

મોરબી : મોરબીમાં મોરબી ખાધતેલ વેપારી એસો અને મોરબી ધ ગ્રેન એન્ડ સુગર મર્ચન્ટ એસો તેમજ જથ્થાબંધ અનાજ કરીયાણાના વેપારીઓએ કોરોના સંક્રમણ ફેલાતું રોકવા માટે દુકાનો બપોરે ૨ સુધી જ ખુલ્લી રાખવા નિર્ણય કર્યો છે જે મુજબ આજથી બપોરે ૨ સુધી દુકાનો ખુલી રહી હતી અને બપોર બાદ વેપારીઓએ બંધ પાળ્યું હતું બપોરના ૨ વાગ્યા બાદ બંધને વેપારીઓ દ્વારા સારો પ્રતિસાદ આપવામાં આવ્યો હતો તેમજ ગ્રેઇન એન્ડ સુગર મર્ચન્ટ એસોના પ્રમુખ પરેશભાઈ કચોરીયાએ જણાવ્યું હતું આજે વેપારી એસોના નિર્ણયને પગલે ૧૫૦ જેટલા વેપારીઓએ પોતાની દુકાનો બપોરના ૨ વાગ્યા બાદ બંધ કરી હતી. તસ્વીર બંધ દુકાનોની છે. (તસ્વીર : પ્રવિણ વ્યાસ, મોરબી)

(1:04 pm IST)