ભાવનગરમાં એનડીઆરએફની ટીમ આવી
ભાવનગર,તા. ૬ : પ્રતિવર્ષ રાજયમાં વિવિધ પ્રકારની ઈમરજન્સી પરિસ્થિતિ ને પહોંચી વળવા માટે એનડીઆરએફ ની ટીમ રાહત અને બચાવ કાર્ય માટે તૈનાત કરવામાં આવે છે. પૂર, વાવાઝોડું અને ભૂકંપ સહિતની પરિસ્થિતિમાં આ ટીમ જાનમાલનુ સારીરીતે રાહત-બચાવ કામગીરી કરે છે. ગતવર્ષે તાઉતે વાવાઝોડા દરમિયાન એનડીઆરએફની ટીમોએ નોંધપાત્ર કામગીરી સૌ કોઈમાં પ્રશંસા પાત્ર બની હતી.ભારે વરસાદ દરમિયાન ઉભી થતી પરિસ્થિતિમાં જાનમાલનુ રક્ષણ અને બચાવ કામગીરી માટે રાજયના ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા રાજયના વિવિધ મહાનગરોમાં એનડીઆરએફની ટીમો મોકલવામાં આવી છે. ત્યારે આજરોજ ભાવનગરમાં પણ એનડીઆરએફની એક ટીમ આવી પહોંચી છે. ૨૫ જાંબાઝ જવાનોની આ ટીમભાવનગર શહેર કે જિલ્લામાં ભારે વરસાદ કે કોઇપણ ઉભી થયેલી ઈમરજન્સી પરિસ્થિતિમાં રાહત અને બચાવ કામગીરીનો મોરચો સંભાળશે.