સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 6th July 2022

પોરબંદરના વાઘેશ્વરી પ્‍લોટમાં મકાનમાં શોર્ટ સર્કીટથી આગ લાગી : ઘરવખરી-ફર્નિચર બળીને ખાખ

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા. ૬ :  વાઘેશ્વરી પ્‍લોટમાં ચાવડા એપાર્ટમેન્‍ટવાળી ગલીમાં મકાનમાં વિકરાળ આગ લાગતા ઘર વખરી અને ફર્નિચર બળીને ખાખ થઇ ગયેલ છે અંદાજે લાખોનું નુકશાન થયું છે.

વાઘેશ્વરી પ્‍લોટમાં ચામુંડા એપાર્ટમેન્‍ટવાળી ગલીમાં મકાનમાં આગ ભભૂકી હતી અને તપાસમાં મકાનમાં શોર્ટ સર્કીટથી આગ લાગ્‍યાનું બહાર આવ્‍યું છે.

આગ લાગ્‍યાની જાણ કરાતા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્‍થળે આવી જઇને પાણીનો મારો ચલાવીને ર કલાકે આગને કાબુમાં લીધી હતી. આગથી જાનહાનિ થઇ નથી.

(1:21 pm IST)