સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 6th July 2022

મોરબી અને વાંકાનેરમાં કોરોનાના વધુ ૦૯ કેસ : એકટીવ કેસનો આંક ૪૦ એ પહોંચ્યો

મોરબી તા ૬ : મોરબી જીલ્લામાં કોરોના કેસોમાં વધારો થઇ રહ્યો છે જેમાં ગઇકાલે મોરબી જીલ્લાના મોરબી અને વાંકાનેર તાલુકામાં નવા ૦૯ કેસો નોંધાયા છે જયારે એક દર્દી  સ્વસ્થ થયા છે.

 નવા કેસમાં મોરબી તાલુકામાં ૦૭ કેસ નોંધાયા છે જેમાં ૦૪ ગ્રામ્ય પંથક અને ૦૩ શહેરી વિસ્તારમાં નોંધાયા છે તો મોરબી તાલુકામાં ૦૧ દર્દી સ્વસ્થ થયા છે. જયારે વાંકાનેર તાલુકાના ૦૨ કેસ ગ્રામ્ય પંથકમાં નોંધાયા છે. મોરબી જીલ્લામાં આજે નવા ૦૯ કેસ નોંધાયા છે તો ૦૧ દર્દી સ્વસ્થ થયા છે. નવા કેસોને પગલે એકટીવ કેસનો આંક ૪૦ થયો છે.(

(1:52 pm IST)