મોરબીના રણછોડનગરમાં વિદેશી દારૃના જથ્થા સાથે ૩ પકડાયા
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ૬: મોરબીમાં રણછોડનગરમાંથી વિદેશીદારૃના જથ્થા સાથે ૩ ઈસમો ઝડપાયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એલ.સી.બી. પોલીસની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, રણછોડનગર અમૃતપાર્ક ખાતે ૩ ઈસમો દારૃના જથ્થા સાથે પસાર થઈ રહ્યા છે. જેને પગલે પોલીસે ચોક્કસ બાતમીને આધારે મોરબી-૨ નવલખી રોડ રણછોડનગર અમૃતપાર્કમાં દરોડા પાડ્યા હતા. જ્યાં આરોપી મેહુલ ત્રિભોવનદાસ પુજારા, સાગર કાન્તીભાઇ પલાણ લોહાણા અને જલ્પેશ ઉર્ફે જપો વિનોદભાઇ ખાખીને વિદેશી બોટલો નંગ ૮૩ ની કિ.રૃ.૩૧૧૨૫/- સાથે મળી આવ્યા હતા. જેથી ત્રણેયની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં આરોપી ભરત જીવણભાઇ રબારીનું નામ ખુલ્યું હતું. જેથી તેની ધરપકડ કરવા પોલીસે તજવીજ હાથ ધરી છે.
આ કામગીરીમાં એમ.આર.ગોઢાણીયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા ભ્લ્ત્ એન.એચ.ચુડાસમા તથા એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડ તથા ખ્ણ્વ્શ્ તથા ટેકનીકલ ટીમ સહિતના કર્મચારીઓ જોડાયા હતા.