સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 6th August 2022

મોરબી જીલ્લામાં કોરોનાના નવા ૦૬ કેસ નોંધાયા :હળવદમાં ૧૭ વર્ષની સગીરાનું મોત.

જીલ્લામાં ૧૪ દર્દીઓ સ્વસ્થ થયા :જિલ્લામાં એક્ટીવ કેસનો આંક ૮૫ થયો

મોરબી જીલ્લામાં કોરોનાના નવા ૦૬ કેસ નોંધાયા છે કેસોમાં થોડો ઘટાડો નોંધાયો છે જોકે હળવદ પંથકમાં ૧૭ વર્ષની સગીરાનું મોત થયું હતું.

 નવા કેસોમાં મોરબી તાલુકાના ૦૫ કેસ જેમાં ૦૪ ગ્રામ્ય અને ૦૧ શહેરી વિસ્તારમાં અને ટંકારા તાલુકાનો ૦૧ કેસ ગ્રામ્ય પંથકમાં મળીને નવા ૦૬ કેસ નોંધાયા છે. મોરબી જીલ્લામાં ૧૪ દર્દીઓ સ્વસ્થ થયા છે જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ૮૫ થયો છે

(11:46 pm IST)