સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 6th August 2022

નખત્રાણાને નગરપાલિકાનો દરજ્જા આપવાની સૈદ્ધાંતિક મંજૂરીની જાહેરાત કરતા મંત્રી કીર્તિસિંહ

વિકાસને વેગવંતો બનાવવા રાજ્ય સરકાર હંમેશા પ્રયત્નશીલ- ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા

ભુજ :આજ રોજ નખત્રાણા ખાતે કચ્છના પ્રભારી મંત્રી અને રાજ્યના શિક્ષણ રાજયમંત્રી કીર્તીસિંહ વાઘેલાએ રાજ્ય સરકારે નખત્રાણાને નગરપાલિકાનો દરજ્જો આપ્યાની  સૈધ્ધાંતીક મંજૂરીની જાહેરાત કરીને ઉપસ્થિત લોકોને આનંદિત કરી દીધા હતા.

આ પ્રસંગે શિક્ષણ રાજયમંત્રી કીર્તીસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, આ વિકાસયાત્રા આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ચાલુ કરી છે તેને આગળ ધપાવવા માટે આપણે હંમેશા તત્પર રહીએ. નાના નખત્રાણા, મોટા નખત્રાણા અને બૈરૂનો સમાવેશ કરીને નખત્રાણાને નગરપાલિકા તરીકેનો દરજ્જો આપ્યાની જાહેર કરતાં મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના લોક-કલ્યાણલક્ષી નિર્ણયથી આ નગરોનો હવે ઝડપી વિકાસ થશે. રાજ્ય સરકારે વિકાસની લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખીને આ દરજ્જો આપ્યો છે, એમ મંત્રીએ આ પ્રસંગે ઉમેર્યું હતું
આ પ્રસંગે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, જનહિતાર્થે વિકાસકાર્યો કરવા સરકાર હંમેશા કટિબદ્ધ રહી છે. તેમણે ખુશી વ્યક્ત કરતાં નખત્રાણાને નગરપાલિકાનો દરજ્જો આપવા બદલ રાજ્ય સરકાર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે વિવિધ સંસ્થાઓ દ્વારા શિક્ષણ રાજ્યમંત્રી અને કચ્છના પ્રભારી મંત્રીનું શાલ અને મોમેન્ટો આપીને સ્વાગત કરાયું હતું.આ જાહેરાતને સ્થાનિક અગ્રણીઓ અને નખત્રાણાના નગરજનોએ વધાવી લીધી હતી.
આ કાર્યક્રમમાં નખત્રાણા તાલુકા પંચાયત પ્રમુખ જયસુખભાઇ પટેલ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન જયાબેન ચોપડા, આરોગ્ય સમિતિ ચેરમેન કરસનજી જાડેજા, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન મહેન્દ્રસિંહ સોઢા,  તાલુકા સામાન્ય ન્યાય સમિતિ ચેરમેન લીલાબેન મહેશ્વરી, જિલ્લા પંચાયત સદસ્ય નયનાબેન પટેલ, સર્વ અગ્રણીઓ સર્વ કેશુભાઇ પટેલ, મુકેશભાઇ ચંદે, અનિરુધ્ધભાઇ દવે, દિલીપભાઇ પટેલ, રમેશભાઇ આહિર, દિનેશભાઇ નાથાણી, પુરૂષોતમભાઇ વાસાણી, રાજુભા જાડેજા, પાટીદાર સમાજ અગ્રણી અબજીભાઇ કાનાણી તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

(12:38 am IST)