સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 6th August 2022

પોરબંદર કીર્તિમંદિરની મુલાકાતે ઉપરાષ્ટ્રપતિ વેકૈયા નાયડુઃ પૂ.ગાંધીજીને પુષ્પાંજલી

ગાંધી જન્મ સ્થળે ગાંધી વંદના બાદ ઉપરાષ્ટ્રપતિ વેરાવળ-સોમનાથ જવા રવાના થશે

( હેમેન્દ્રકુમાર પારેખ, પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૬: દેશના ઉપરાષ્ટ્રપતિ  વેકૈયા નાયડુ આજે પૂ.ગાંધીજીના જન્મસ્થળ કીર્તિમંદિરની મુલાકાતે આવી રહયા છે.  ઉપરાષ્ટ્રપતિ વેકૈયા નાયડુ બપોરે ૧ર.૩૦ વાગ્યાની આસપાસ કીર્તિમંદિરે પધારશે અને પૂ. ગાંધીજીને પુષ્પાંજલી અર્પણ કરશે.

ઉપરાષ્ટ્રપતિ વેકૈયા નાયડુ આજે દ્વારકામાં જગત મંદિરે દર્શન કરીને પોરબંદર કીર્તિમંદિરે આવી રહેલ છે. ઉપરાષ્ટ્રપતિનું  ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવશે. ઉપરાષ્ટ્રપતિ વેકૈયા નાયડુ પુ.ગાંધીજીને પુષ્પાંજલી અર્પીને ગાંધીજીના ઐતિહાસિક જન્મસ્થળને નિહાળશે.

ઉપરાષ્ટ્રપતિ વેકૈયા નાયડુ કીર્તીમંદિરે પુ.ગાંધીજીને પુષ્પાંજલી અર્પણ કર્યા બાદ પોરબંદરથી વેરાવળ-સોમનાથ દર્શને જવા રવાના થશે.

(2:59 pm IST)