દામનગરમાં ગુરૂકુળ ખાતે યોગ સંવાદ કાર્યક્રમ
દામનગર : શ્રી સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ગુરૂકુળ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શીશપાલજીના માર્ગદર્શન હેઠળ આયોજિત યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો. પૂજ્ય સ્વામી વિષ્ણુચરણદાસજી કોઠારી સ્વામી, ચંદ્રપ્રકાશદાસજી, શાષાી સ્વામી આનંદસ્વરૂપદાસજીની પાવન નિશ્રામાં નિવળત આઈ પી એસ હરેકળષ્ણભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોગ સંવાદ યોજાયો. વિશાળ સંખ્યામાં સ્કૂલ કોલેઝના છાત્રોને યોગની મહતા વિશે અવગત કરતા શાષાી આનંદસ્વરૂપદાસજીએ અધ્યાત્મ સાથે યોગ થી આરોગ્યનું ઋષિ પરંપરા વિશે માર્ગદર્શન આપ્યું. યોગના ફાયદાઓ પદ્ધતિ દ્વારા સ્વાસ્થ્ય જીવન નિરામય આરોગ્ય અંગે સર્વને અવગત કર્યા હતા. કરો યોગ રહો નિરોગીના સંદેશ સાથે યોગ સંવાદ કાર્યક્રમને સફળ બનાવવા ગુરૂકુળ શાળા કોલેજ સ્ટાફ દ્વારા વ્યવસ્થા કરાઇ હતી. (તસ્વીર-અહેવાલ : વિમલ ઠાકર દામનગર)