સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 6th August 2022

આટકોટના કમળાપુરમાં હર ઘર તિરંગાને પ્રોત્‍સાહન

આટકોટ : કમળાપુર  આઝાદી કા અમળત મહોત્‍સવ ૭૫ માં ઉજવણી અંતર્ગત પ્રા. આરોગ્‍ય કેન્‍દ્ર કમળાપુર ખાતે ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત હર ઘર તિરંગા રંગોળી તેમજ હર ઘર તિરંગા બાબત લોકોમાં જાગળતતા આવે તે માટે પ્રયાસ કરવામાં આવ્‍યો. આરોગ્‍ય કેન્‍દ્રમાં ઉપસ્‍થિત ડૉક્‍ટર  સહિત તમામ  સ્‍ટાફ  તેમજ હજાર દર્દીએ હર ઘર તિરંગા લેહરાવવા તેમજ અન્‍યને હર ઘર તિરંગા ફરકાવવા માટે પ્રેરિત કરવા માટે સંકલ્‍પ લેવામાં આવયો. હર ઘર તિરંગા અંતર્ગત ઉજવણીમાં આરોગ્‍ય કેન્‍દ્રના ડો.ધવલ ગોસાઈ, તાલુકા આરોગ્‍ય અધિકારી ડો રામ, તાલુકા વિકાસ અધિકારી રાબા, કમળાપુર પંચાયતના સભ્‍ય મુકેશ ભાઈ દુધરેજીયા તેમજ આરોગ્‍યનો તમામ સ્‍ટાફ ઉપસ્‍થિત રહેલ. (તસવીર-અહેવાલ : કરશન બામટા આટકોટ)

(1:33 pm IST)