સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 6th August 2022

જામકંડોરણાના મામલતદાર મુળિયાસીયાને નિવળતી વિદાયમાન

જામકંડોરણા : જામકંડોરણાના મામલતદાર વી.આર.મુળિયાસીયા નિવળત થતાં મામલતદાર કચેરી ખાતે તેમનો વિદાય સમારંભ યોજાયો હતો. મામલતદાર કચેરી સ્‍ટાફ પરિવાર દ્વારા તેમને મોમેન્‍ટો તથા સાલ ઓઢાડી સન્‍માનિત કરી તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી. આ  વિદાય સમારંભમાં નાયબ મામલતદાર આર.જી. લુણાગરીયા, તાલુકા વિકાસ અધિકારી બી.આર.બગથરીયા,  બી.આર.સી. કોઓડીનેટર સંજયભાઈ બોરખતરીયા, સસ્‍તા અનાજ એશો.ના હોઠેદારો, પ્રશાંતભાઈ મહેતા વગેરેએ હાજરી આપી હતી. રાજકોટ જીલ્લા સહકારી બેંકના. ડીરેક્‍ટર લલીતભાઈ રાદડીયા તેમજ જીલ્લા ભાજપના ઉપપ્રમુખ ગોવિદભાઈ રાણપરીયાએ તેમની સેવાઓને બિરદાવી સન્‍માન કર્યું હતું. રાયડી ગામના અગ્રણી ઉધોગપતિ હરસુખભાઈ પાનસુરીયાએ તેમની સેવાઓ અને કામગીરીની સરાહના કરી સન્‍માનીત કરેલ. તાલુકા ભાજપ પ્રમુખ ચંદુભા  ચૌહાણ, તાલુકા પંચાયતના પ્રમુખ હિરેનભાઈ બાલધા, વિઠલભાઈ બોદર, સહિતના અનેક આગેવાનો તેમજ સામાજીક સંસ્‍થાઓના પ્રતિનિધિઓએ તેમની કામગીરીની પ્રશંસા કરી સન્‍માન કરેલ.(તસ્‍વીર-અહેવાલ : મનસુખ બાલધા જામકંડોરણા)

(1:34 pm IST)