સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 6th August 2022

બોટાદના ધજાળા લોમેવધામના મહંતને બાલકૃષ્‍ણ અર્પણ

બોટાદ : ધજાળા લોમેવધામના મહંત મહારાજ પરમ પૂજ્‍ય  ભરતબાપુના પ્રાગ્‍ટય દિવસ પ્રસંગે બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલીયા દ્વારા પ.પુ. ભરતબાપુને રજવાડી કેસરીયો સાફો બાંધી પારણે ઝુલતા  બાળકળષ્‍ણ  અર્પણ કરેલ. પુજ્‍ય ભરતબાપુ દ્વારા બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલીયાને સાલ ઓઢાડી સન્‍માન કરી આશીર્વાદ આપેલ. બાપુના પ્રાગ્‍ટય દિવસ પ્રસંગે શુભકામના સાથે બાપુના ચરણોમાં કોટી કોટી  દંડવત પ્રણામ કરી બાપુના  આશીર્વાદ પ્રાપ્ત કરેલ. આ પ્રસંગે પાળીયાદના દિલીપભાઈ ખાચરે બાપુનું સન્‍માન કરી બાપુના પ્રાગ્‍ટય દિવસ પ્રસંગે શુભેચ્‍છા આપેલ તેમ બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલીયાની યાદીમાં જણાવાયું છે.

(1:38 pm IST)