સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય વાઘા ચોકલેટનો શણગાર અન્નકૂટ ભવ્ય ષોડશોપચાર પૂજન
વાંકાનેરઃ શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિતે પ. પૂ. શાસ્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય ચોકલેટ વાઘાનો શણગાર ધરાવવામાં આવેલ તથા સવારે પ-૩૦ કલાકે મંગળા આરતી પ. પૂ. શાષાી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) દ્વારા તથા ૭ કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા એવં બપોરે ૧૧:૧પ કલાકે ચોકલેટ અન્નકૂટ આરતી કરવામાં આવેલ. શનિવાર નિમિતે સાંજે પઃ૩૦ કલાકે દાદાનું ભવ્ય ષોડશોપચાર પૂજન-અભિષેક-મહાઆરતી પ. પૂ. શાષાી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવેલ. ભકતોએ ઓનલાઇન તથા પ્રત્યક્ષ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.