ધ્રોલમાં રાજપુત સમાજ દ્વારા શષા પુજન
ધ્રોલ : વિજયાદશમીના પવિત્ર તહેવારો પ્રસંગે ધ્રોલ તાલુકા રાજપુત સમાજ તરફથી શષા પુજનનો કાર્યક્રમ રાજપુત યુવા સંઘના ઉપક્રમે યોજવામાં આવેલ. ધ્રોલ શહેર તથા તાલુકાભરના યુવાનો તથા આગેવાનો પરંપરાગત રજવાડી પોશાક તથા તલવારો સાથે અત્રેના રાજપુત છાત્રાલય ખાતે એકત્ર થયેલ.
ધ્રોલ રાજપુત સમાજ ખાતેથી અમરેલીએ પ્રસ્થાન કરી માર્કેટીંગયાર્ડ, ત્રિકોણબાગ હોસ્પિટલ રોડ ઉપરથી પસાર થઇ દરબાર ગઢ ખાતે એકત્ર થયેલ.
આ રૂટમાં ગાંધી ચોક ખાતે આવેલ ધ્રોલ ઠાકોરની પ્રતિમાને રાજપુત આગેવાનોએ ફુલહાર કરેલ. દરબાર ગઢ ખાતે આવેલશ્રી આશાપુરા માતાજીના મંદિરે દર્શન કરીને દરબાર ગઢના મેદાનમાં શષા પુજનનો કાર્યક્રમ યોજવામાં આવેલ. વિજયાદશમીના કાર્યક્રમમાં રાજપુત સમાજના પ્રમુખ પથુભા જશુભા જાડેજા, ઉપપ્રમુખ રાજભા જાડેજા, વાગુદડવાળા રાજપુત છાત્રાલયના પ્રમુખ પ્રદ્યુમનસિંહ જાડેજા, લખધીરસિંહ જાડેજા - રોજીયા યુવા સંઘના પ્રમુખ ઉપેન્દ્રસિંહ સહિતનાએ હાજરી આપી હતી.