વાંકાનેર ક્રિષ્ના ગરબીમાં જલતો ગરબો રજુ
વાંકાનેરઃ શ્રી ક્રિષ્ના ગરબી મંડળ જીનપરા વાંકાનેરમાં અદ્દભૂત જલતા ગરબાનો રાસ શ્રી ક્રિષ્ના ગરબી મંડળની બાળાઓ દ્વારા સમગ્ર વાંકાનેરની ક્રિષ્ના ગરબી મંડળમાં થતો રાસ જલતો ગરબો રજુ કરી લોકોનું આકર્ષણ બન્યુ આ રાસ જોવા માટે લોકો ઉમટી પડયા હતા આ ગરબી મંડળમાં એક પણ રૃપિયાનો ફંડ કે ફાળો કરવામાં નથી આવતો અને માતાજીની આરતીનો પણ ચડાવો કે પૈસા સ્વીકારવામાં નથી આવતા આ તકે ગરબી મંડળના સંયોજક રમેશભાઇ બી.મકવાણાનુ વાંકાનેરના સીનીયર પત્રકાર મહમદભાઇ રાઠોડ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ સમગ્ર ક્રિષ્ના ગરબી મંડળના આયોજન ને સફળ બનાવવા માટે રમેશભાઇ બી.મકવાણા, પરેશ ગોદળકા, રહીમભાઇ ખોખર, વરૃણ મકવાણા, રવિજોગડીયા, સતીષ, યશવન ટીકુભાઇ ગોસ્વામી સહિત તમામ મંડળના સભ્યો જહેમત ઉઠાવી હતી.(તસ્વીરઃ અહેવાલ, મહમદ રાઠોડ-વાંકાનેર)