News of Tuesday, 6th December 2022
સાવરકુંડલામાં પૂ. મોરારીબાપુનાં વરરાજાને શુભ આશિષ
સાવરકુંડલા : સાવરકુંડલા સ્થિત સંત અને શુરા શ્રી જોગીદાસ ખુમાણની પરંપરાનાં કાઠી ક્ષત્રીય સમાજના પરિવારમાં શ્રી ભગીરથસિંહનાં તાજેતરમાં શુભ લગ્ન યોજાયા. આ પ્રસંગે સુપ્રસિધ્ધ રામાયણી વિશ્વ વંદનીય સંત શ્રી મોરારીબાપુએ હાજરી આપી નવ દંપતીને પોતાનાં આશીર્વાદ આપી, રાજીપો વ્યકત કર્યો હતો. આ પ્રસંગે પૂજય બાપુનું પ્રતાપભાઇ ખુમાણ અને હનુભાઇ ખુમાણ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
(10:39 am IST)