News of Tuesday, 6th December 2022
જસદણનાં ઘેલાં સોમનાથ દાદાના શરણે અધિકારી અમિતકુમાર સોની
જસદણ : વિખ્યાત તીર્થધામ શ્રી ઘેલાં સોમનાથ મહાદેવને શીશ ઝુકાવવા માટે ભલભલા મહારથીઓ આવે છે ત્યારે આજે મુંબઈ ઇન્કમટેક્સ વિભાગના જોઇન્ટ કમિશનર અમિતકુમાર સોનીની પ્રથમ તબક્કાની ચુંટણીમાં ખાસ કામગીરી સોપી હોવાથી તેઓએ દેવોના દેવ શ્રી ઘેલાં સોમનાથ મહાદેવને શીશ ઝુકાવ્યું હતું. આ તકે ઘેલાં સોમનાથમાં યાત્રિકો માટે સુવિધામાં ખડેપગે રહેતા મેનેજર હિંમતભાઈ શિયાળએ અમિતકુમારનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું.(તસ્વીર : હુસામુદ્ીન કપાસી જસદણ)
(11:33 am IST)